તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકાર શિક્ષણની સ્થિતિ સામાન્ય બનાવવા માગે છે, પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોને કોલેજ શરૂ કરવામાં કોઈ રસ નથી. હજુ પણ સંમતિપત્રકો મગાવ્યા પછી કોલેજ શરૂ કરાશે, તેવું નક્કી કરાયું છે. જ્યારે નાની ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ આવશે તો શરૂ કરાશે, તેવું સત્તાધીશોએ જણાવ્યું હતું.
મ.સ. યુનિવર્સિટીના સત્તાધીશોને કોલેજ શરૂ કરવામાં કોઇ રસ દેખાઇ રહ્યો નથી. સરકારી નોકરી કરવા ટેવાઇ ગયેલા અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ માફક આવી ગયું છે. સરકાર દ્વારા 8 ફેબ્રુઆરીથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. જોકે યુનિવર્સિટી સત્તાધીશોને કોલેજ ઓફલાઇન મોડથી શરૂ કરવાના નામ પર સંમતિપત્રકોની બહાનાબાજી શરૂ કરી છે.પરીક્ષા ચાલતી હોવાથી કોમર્સ ફેકલ્ટી શરૂ કરવા માટે ઇન્કાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આર્ટસમાં રિનોવેશનના લીધે શિક્ષણ શરૂ નહીં થાય
આર્ટસ ફેકલ્ટીમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જેથી 27 જેટલા ક્લાસ રૂમોનો ઉપયોગ કરી શકાય તેમ ન હોવાથી વિદ્યાર્થીઓને બોલાવાશે નહીં. માત્ર પ્રેક્ટિકલ માટે સાઇકોલોજી અને આર્કોલોજી વિભાગમાં વિદ્યાર્થીઓને બોલાવાશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.