તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાંડિયા બજાર સ્થિત ખાનકાહે રિફાઈયા ખાતે તા. 14 થી 17 નવેમ્બર 2020 દરમિયાન હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામહુસેન ઉર્ફે અમીરમીયાં રિફાઈ (ર.અ)ના 180મા ઉર્સની કોવિડ-19ની મહામારીના પગલે જાહેર ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે ઉર્સની પરંપરાગત ધાર્મિક વિધી સાથે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ખાનકાહે રિફાઈયાના સજ્જાદાનશીન હઝરત અલ્હાજ સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબે બઝમે રિફાઈ કમીટી તેમજ ખાનકાના કાર્યકર્તાઓ સાથે તાજેતરમાં યોજેલી બેઠકમાં કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં લઈને ઉર્સની ઉજવણી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઉર્સના દિવસોમાં કોઈ લારી-ગલ્લાવાળા રિફાઈ સાહેબની ખાનકાહની જગ્યામાં આવે નહીં તેમજ વૃદ્ધો-બાળકો પણ ન આવે તેની ખાસ તકેદારી રાખવાનો પણ તેમને જાહેર અનુરોધ કર્યો છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.