વડોદરા શહેરમાંથી આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં જે લોકો સ્ટુડન્ટ, બિઝનેસ સહિતના વિઝા પર જાય છે તેમને યલો ફીવરની રસી ફરજિયાત રીતે લેવાની હોય છે. હા, રસી લેવા માટે અત્યાર સુધી વડોદરાના લોકોને અમદાવાદ જવું પડતું હતું. પરંતુ હવે વડોદરા શહેરમાં સુરસાગર તળાવ પાસે આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટરમાં યલો ફીવરની રસી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન આજથી વડોદરાના મેયર કેયુર રોકડિયા હસ્તે કરવામાં આવ્યું હતું.
બે દિવસ રસી મળશે
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં બે દિવસ મંગળ અને ગુરુવારના દિવસે યલો ફીવરની રસી વડોદરામાં આપવામાં આવશે. રસી આપવાનો સમય મંગળ અને ગુરુવારે બપોરે 3 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આ માટે 500 રૂપિયા આપવાના રહેશે. રસી લેનાર તેજસ કેતનભાઇ શાહે જણાવ્યું હતું કે, મારે દક્ષિણ આફ્રિકાના દેશ ઘાનાના અકક્રામાં જવાનું છે. જેથી મે યલો ફિવર વેક્સિન આજે લીધી છે. વડોદરા યલો ફિવર રસી આપવાનું શરૂ કરાયું તે ખુબ સારી વાત છે.
'યલો ફીવર’ શું છે?
એડિસ માદા મચ્છર એક વ્યક્તિને કરડયાં બાદ બીજા વ્યક્તિમાં ફેલાતો રોગ છે. વ્યકિતને મચ્છર કરડયાંનાં 3થી 6 દિવસમાં પ્રથમ તબક્કામાં તાવ, માથાનો દુખાવો, પીઠનો દુખાવો, અપચો, બેચેની અને વોમિટિંગ જેવી તકલીફો જોવા મળે છે. જયારે 'યલો ફીવર’ની લપેટમાં આવેલા કેટલાક લોકોને બીજા તબક્કામાં ગંભીર ઝેરી અસરો થાય છે, જેમાં હાઇગ્રેડ ફીવર, કમળો થતાં લિવર ડેમેજ, પેટમાં સખત દુખાવો, મોઢામાંથી લોહી પડવું જેવી તકલીફો બાદ દર્દીના લિવર, કિડની અને હૃદય પરમેનેન્ટ ડેમેજ થતાં બે અઠવાડિયામાં મોત થવાની સંભાવના હોવાથી 'યલો ફીવર’ની વેક્સિન મૂકાવવી ફરજિયાત છે.
યલો ફીવર અને તેની વેક્સિન વિશે માહિતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.