તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પારૂલ યુનિ. અને ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજ્યના 200 અંધ વ્યક્તિઓને દિવાળી નિમિત્તે કિટનું વિતરણ કરાયું હતું. જેમાં રાજ્ય સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવર્મેન્ટ વિભાગના એડિશનલ સેક્રેટરી તેમજ IAS મોનજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પારૂલ યુનિ.નું પગલુ સરાહનીય છે. આ પ્રકારે શૈક્ષણિક સંસ્થા દ્વારા મદદ માટે હાથ આગળ આવે તે જરૂરી છે. મનોજ અગ્રવાલ દ્વારા અંધજનોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરાયો હતો તેમજ પ્રશ્નોના નિકાલની પણ બાહેંધરી આપવામાં આવી હતી. અંધજનોને કીટમાં તેલ, મઠીયા, ચોળાફળી તેમજ દિવાળીના નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યના વિવિધ શહેરોના અંધજન મંડળે સૂચવેલા 200 જેટલા અંધજનોને પારુલ યુનિ.ઓડિટોરીયમ ખાતે એકઠા કરવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.