શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે ત્યારે પાલિકાના ફુડ વિભાગે સપાટો બોલાવીને પાણીપુરીની 128 લારીઓમાંથી 485 લીટર પાણી અને 114 કિલો બટાકા,ચણા ફેંકાવી દીધા હતાં. ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે સુરસાગર તળાવ, જયુબેલીબાગ, ઉમા ચાર રસ્તા, વૃંદાવન ચાર રસ્તા, નિઝામપુરા કમાટીબાગ જય અંબે નગર વાઘોડિયા રોડ સહિત વિસ્તારની પાણી પુરીનું વેચાણ કરતી 128 તેમજ અન્ય ખાદ્ય ચીજોની લારી,12 ઉત્પાદકો અને 2 દુકાનોમાં તપાસ હાથ ધરી હતી.
મોટાભાગની લારીઓમાં પાણીપુરીનું પાણી પીવાલાયક ન હોવાનું તો બટાકા અને ચણા ખાવા લાયક ન હોવાનો ભાંડો ફૂટયો હતો. જેથી 485 લીટર પાણીપુરીનું પાણી અને વાસી બટાકા ચણા નો 114 કિલો જથ્થો ફેંકાવી દીધો હતો.એટલું જ નહીં કલર ની બે બોટલ મળતાં સ્થળ પર જ નાશ કરાયો હતો. તેમજ પાણી, બટાકા,ચણાના નમૂના લેવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.