તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનના બાગ-બગીચા ખુલ્લા રાખવાના સવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ, સિનિયર સિટીઝન અને મોર્નિંગ વોકર્સની રજૂઆતને પગલે સવારના સમયમાં 1 કલાકનો વધારો કરાયો છે. જેને પગલે હવે બાગ-બગીચાઓ સવારે 6 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે સરકારે લોક ડાઉન જાહેર કરતાં બાગ-બગીચા બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અનલોકની જાહેરાત પછી બાગ-બગીચા ખુલ્લા રાખવા કોરોના ગાઈડ લાઈન મુજબ બાગ-બગીચા ખુલ્લા રાખવાનો સમય સવારે 6થી 9 અને સાંજે 6થી 9 વાગ્યા સુધી રાખવાનો કોર્પોરેશનના વહીવટી તંત્રે નિર્ણય કર્યો હતો.
જોકે સિનિયર સિટીઝનો, મહિલાઓ તથા ઘણા શહેરીજનો વહેલી સવારે પૂરતો સમય ન મળતો હોવાથી મુશ્કેલી પડતી હતી. જેથી સવારનો સમય વધારવા માટે સિનિયર સિટિઝન ગ્રૂપ, યુવાનો તેમજ મોર્નિંગ વોકરો દ્વારા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહને રજૂઆત કરી હતી, જે સંદર્ભે તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.આ માગણીને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બાગ-બગીચાઓમાં સમય સવારે 6થી 9 ને બદલે વધારીને સવારે 1 કલાક વધુ એટલે કે 6 થી 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. જ્યારે સાંજે 6થી 9 સુધીનો સમય યથાવત્ રાખવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.