કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડની ઉપસ્થિતિમાં વડોદરાના સર સયાજી નગર ગૃહ ખાતે એક દિવસીય કસ્ટમર આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વડોદરાના 416 લાભાર્થીઓને કેન્દ્ર સરકારની અલગ-અલગ યોજના અંતર્ગત રૂ. 256 કરોડથી વધુ રકમની લોનના મંજૂરી પત્ર તથા ચેક આપવામાં આવ્યા હતા. આ લાભાર્થીઓ પૈકી કેટલાક લાભાર્થીઓને કેન્દ્રીય મંત્રી અને સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. અને યોજનાઓના લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવો મેળવ્યા હતા.
બેંકોનો લાભ લોકોને મળ્યો
‘કેમ છો ?’ તેમ કહીને ગુજરાતીમાં પોતાના સંબોધનની શરૂઆત કરનાર ડૉ. ભાગવત કરાડે કહ્યું કે, ગુજરાત એક આદર્શ રાજ્ય છે, અને અહીંનું વિકાસ મોડલ અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પારદર્શક અમલીકરણ થકી ગુજરાતમાં વેપાર વૃદ્ધિ થઇ રહી છે, તેવું કહેતા તેમણે વધુમાં ઉમેર્યું કે, ગરીબોને સુવિધા મળે, સામાન્ય લોકોનું જીવનધોરણ ઉંચુ આવે એ જ પ્રધાનમંત્રીનું લક્ષ્ય છે અને બેંકોના માધ્યમથી આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીને પણ મળી રહ્યો છે.
હવે બેંક ગ્રાહક પાસે જાય છે
અલગ-અલગ યોજનાઓ થકી કઇ રીતે ગરીબોનો આર્થિક ઉત્કર્ષ થાય અને દેશનું અર્થતંત્ર વિકાસપથ પર હરણફાળ ભરે તે સંકલ્પ સાથે પ્રધાનમંત્રીના લક્ષ્યમાં બેંકો પણ પોતાના અમૂલ્ય ફાળો આપી રહી છે તેવું તેમણે જણાવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે, હેલાના સમયમાં લોકોએ બેંકો પાસે જવું પડતું હતું, ખાતું ખોલાવવા માટે આજીજી કરવી પડતી હતી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારમાં હવે બેંક ગ્રાહક પાસે જાય છે. આ પરિવર્તન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદે જવાબદારી સંભાળ્યા બાદ આવ્યું હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.