તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે વડોદરા દોડી આવેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા કોંગ્રેસ કાઉન્સિલર અમીબેન રાવત અને તેમના પતિ નરેન્દ્ર રાવતની પોલીસે તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી દીધી હતી.
બે કલાક બેઠક ચાલી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના કેસોને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. અને વડોદરામાં કરોનાની સ્થિતી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.સર્કિટ હાઉસમાં બપોરે 12 કલાકે શરૂ થયેલી બેઠકોનો દોર બે કલાક ઉપરાંત ચાલ્યો હતો.
મૃત્યુઆંકમાં વધારો
વડોદરામાં ચિંતાજનક કોરોનાના કેસો વધી રહ્યા છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા કોરોનાનામાં થયેલા વધારો અને મૃત્યુ થઈ રહેલા વધારાને છુપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમના કોંગ્રેસના કાઉન્સિલર પત્ની અમીબેન રાવત બે દિવસ પૂર્વે વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત જે સ્મશાનોમાં કોરોનાના કારણે અવસાન પામતા લોકોના અંતિમ સંસ્કાર થાય છે. તેવા સ્મશાનોની મુલાકાત લીધી હતી.
સાચા આંકડા રજૂ કરવા માગ
કલાકો સુધી સ્મશાનોમાં રોકાયા બાદ એવો આક્ષેપ કર્યો હતો કે, 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ કોરોના કારણે થયો છે. કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમના પત્ની અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો. વડોદરામાં કોરોનાના કેસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. સાચા આંકડા બતાવવામાં આવે તો લોકોમાં જાગૃતિ આવશે અને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકશે તંત્ર દ્વારા કોરોનાના કેસોના સાચા આંકડા અને મરણ પામતા લોકોના સાચા આંકડા આપવામાં આવે તેવી માગણી કરી હતી.
નિવાસ સ્થાનેથી અટકાયત
દરમિયાન આજે વડોદરામાં બધી રહેલા કોરોના ના કેસો ના પગલે દોડી આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને વડોદરામાં ફાટી નીકળેલાના અંગેની સાચી ખેતી નો ચિતાર આપવા માટે આવેદનપત્ર આપવા માટે જતા પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રાવત દંપતીની તેઓના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લીધી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.