1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે.
પોલીસે 26 આરોપીની ધરપકડ કરી હતી
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગરધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો..
રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ
ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર રહ્યા હતા. કોર્ટે કલમ 4 મુજબ 2 વર્ષની સજા, 3 હજારનો દંડ, કલમ 5 મુજબ 6 માસની સજા 1 હજારનો દંડ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે.
જુગારધામ અમદાવાદનો શખસ ચલાવતો
પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ જોકી તરીકે કામ કરતી હતી. જે જુગાર રમતા લોકોને તાસના પત્તાં વહેંચવા સહિત કોઈનની વહેંચણી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
26 દોષિતોના નામ
26ની સજામાં જજ પ્રેમ હંસરાજ સિંહે શું ટાક્યું ?
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જ્યોસ્મિ વ્યવસાયોસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ । ।
શ્લોકનું અનુવાદ - હું છલ કપટ કરનારાઓમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું હું વિજય છું સાહસ છું તથા બળવાઓનો બળ પણ હુંજ છું સ્લોક નો ભાવાર્થ જોવામાં આવે તો શ્રીમદ ભાગવત ગીતા માં ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન ને ઉપદેશ આપેલ કે બ્રહ્માંડ ભર માં અનેક પ્રકારના ઘુતારા હોયછે સર્વ છળ કપટ માં ધૂત (જુગાર) સર્વોપરી છે આમ શ્રીમદ ભગવત ગીતા ના અધ્યાય 10 માં શ્લોક-36 માં ધૃત જુગાર નો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે મુજબ છળ કપટ માં ધૃત યાને જુગાર ને સર્વોપરી ગણવામાં આવેલ છે યાને કે જુગાર રમવો કે રમાડવો તે બન્ને છળ કપટ માં સર્વોપરી યાનેકે છળ કપટ કરનારાઓ સૌથી ઊંચો ગુન્હો હોય તો તે જુગાર રમવા રમાડવાનો ગુન્હો ગણવામાં આવેલ છે.
- કુરાન શરીફમાં પણ અધ્યાય-2 તથા અધ્યાય-5 માં અધ્યાય-2 ની આયાત 219 તથા અધ્યાય-5 ની આયાત 90-91 માં “માયસર અને કિંમર” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જુગાર અંગે નો છે અને કુરાન શરીફ મુજબ પણ જુગાર રમવાની મનાઈ ફરવામા આવેલ છે અને તેને હરામ તરીકે ગણવામાં આવેલ છે . આમ શ્રીમદ ભગવત ગીતા તથા કુરાન શરીફ માં પણ જુગાર રમવો કે રમાડવો તે સૌથી મોટુ છળકપટ તેમજ મનાઈ ફરવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.