કોરોનાકાળમાં રેલવેએ જનરલ કોચને રિઝર્વમાં બદલીને અને એક જ રૂટ પર બે સ્પેશિયલ ટ્રેનો દોડાવીને ઘણી કમાણી કરી હતી, પરંતુ હજુ પણ 303 પૈકી માત્ર 115 છુટછાટ શરૂ કરાઇ છે. સિનિયર સિટીઝન માટેના ભાડામાં છુટછાટ હજુ પણ બંધ છે. રેલવેએ રાજકારણીઓ અને વીઆઈપીઓને મફત મુસાફરીની છૂટ આપી છે પરંતુ રેલ્વેના કેન્સરના દર્દીઓને એસી કોચમાં કોઈ છૂટ નથી. આ સિવાય પોલીસ, પત્રકારો સહિત અનેક સુવિધાઓ પર પ્રતિબંધ ચાલુ છે.
જો કર્મચારીનું પગાર ધોરણ 2800 થી ઓછું હોય, તો તેને દર વર્ષે મફત મુસાફરી માટે 2 સ્લીપર અને 3જી એસી સુવિધા પાસ આપવામાં આવે છે. તેને ડ્યુટી પર થર્ડ એસી પાસ આપવામાં આવે છે. જો કોઈ રેલ્વે કર્મચારી બહારની હોસ્પિટલમાંથી કેન્સર કન્સેશન સર્ટિફિકેટ લેવા માંગતો હોય તો પણ તેને કન્સેશન સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. બીજી તરફ, કોરોના પહેલા ટ્રેનોમાં ટિકિટ પર મુસાફરોને 303 પ્રકારની છૂટ અપાતી હતી. વરિષ્ઠ નાગરિકો, પત્રકારો, પોલીસ સહિત અન્ય છૂટછાટો હજુ પણ બંધ છે. બીજી તરફ બીએસએફ સહિત તમામ સંરક્ષણ જવાનોને છૂટ અપાય છે. પરંતુ પોલીસ કર્મચારીઓ માટે ભાડામાં કોઈ છૂટ નથી.
1 દિવસના સાંસદ પણ મફત મુસાફરી કરે છે
કેન્દ્રીય-રાજ્ય મંત્રી, સાંસદ, ધારાસભ્યને રેલ-હવાઈ મુસાફરી, કાર, મોબાઈલ, પેટ્રોલ-ડીઝલ, રહેઠાણની સુવિધાઓ સરકાર મફત આપે છે. એક દિવસના સાંસદને પણ સુવિધા છે. સિનિયર સિટીઝન માટે હજૂ છુટછાટ શરૂ થઇ નથી. -સંતોષ પવાર, આસિ. સેક્રેટરી, WREU
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.