તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉંડેરા ગામમાં છેલ્લા છ મહિનાથી તળાવની સાફ-સફાઈ ન કરવામાં આવી નથી. જેને પગલે ઉનાળાના આ સમયમાં મગર તેમજ સાપ જેવા જળચર પ્રાણીઓ પાણીમાંથી બહાર નીકળી આવતા ગ્રામજનો ભયભીત થઈ ગયા છે. ઉંડેરા ગામના લોકો દ્વારા ડીડીઅોને આ તળાવ જલ્દીથી સાફ કરાવવા માટે અરજી પણ આપી છે. ઉંડેરા ગામમાં રહેતા હિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વસાહતોને અડીને આવેલા ઉંડેરા ગામના ઐતિહાસીક તળાવમાં ઔદ્યોગિક કચરો, ઉપરાંત મળ-મૂત્ર તેમજ જંગલી વેલાઓના કારણે તળાવમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય વ્યાપેલું છે. ત્યારે તળાવમાં રહેતા મગર, સાપ અને કાચબા સહિતના જળચર પ્રાણીઓ પોતાનું ભોજન મેળવવા માટે તળાવના પાણી માંથી બહાર આવી રહ્યા છે.
આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી
આ તળાવની પાળ પાસે જ બાળકો રમતા હોય છે. ત્યારે મગર બાળકોને નુકસાન ન પહોંચાડે તેવી લોકોને કાયમ ચિંતા રહેતી હોય છે. જ્યારે ગામના મૂંગા પશુઓ પણ તળાવનું પાણી દુષિત હોવાથી તેઓ પીતા નથી. આ ઉપરાંત તળાવના દૂષિત પાણીના પગલે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહેલો છે. ત્યારે ગામના તળાવને તાત્કાલિક સાફ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. જ્યારે આ અંગે ગ્રામજનો દ્વારા ડીડીઅો કિરણ ઝવેરીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.