કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના પીવાના પાણીનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું ના હોવાના આક્ષેપો વિપક્ષના નેતાએ કર્યા છે અને મેયર-કમીશ્નરને પણ રજૂઆતો કરી છે. વિપક્ષ નેતા અમી રાવતે કોર્પોરેશનના ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વિભાગની ઓફીસની મુલાકાત લઇ જણાવ્યું હતું કે, આજુબાજુના ગામોનુ ગ્રાઉન્ડ વોટર કન્ટેનીમેશનની ગંભીર ફરીયાદ હોય, મહીનદીમાં ૫ણ પાણીના કેમિકલ પોલ્યુશનની ફરીયાદ છે. જે પાણીમાં કેન્સર કરતુ હેવી મેટર મરકયુરી છે કે નહી તેની તપાસ સુધ્ધાં નથી થતી.
શહેરની આજુબાજુના કેમિકલ ઉદ્યોગોને જોતાં પાણીનું ટેસ્ટિંગ દર 3 મહિને કરવું જોઈએ નહિતર લટ્ઠાકાંડ જેવી પરિસ્થિતી સર્જાશે. તે લઠ્ઠાકાંડ જેટલુ જ ગંભીર છે અને શહેરના 20 લાખ નાગરિકોને આ કેમિકલવાળું પીવાનું પાણી ધીમે ધીમે મોત આપે છે. ઘણા ઉદ્યોગો દ્વારા જમીનમાં રીવર્સ બોરીંગ મારફતે અને બહાર નદી-નાળા અને ખુલ્લા ખેતરોમાં કેમિકલ જમીનમાં છોડાય છે. જેથી કેમીકલયુકત પાણી મહી નદીમાં રીવર્સ બોરીંગ મારફતે તથા ડાયરેકટ છોડવામાં આવે છે. ટેસ્ટીંગ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માગ કરવામાં આવી હતી.
કોમન કોન્ટામિનેશન વિસ્તાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.