શહેરના કારેલીબાગ વિસ્તારમાં 66 કેવી સેન્ટર પર ભેદી સંજોગોમાં ધડાકા સાથે ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેના પગલે કારેલીબાગ-હરણી વિસ્તારમાં 50 હજાર કરતા વધારે ઘરો અને મુખ્ય સહિત તમામ માર્ગો ઉપર અંધારપટ છવાઇ ગયો હતો. વીજ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતું કે, રાતના આશરે 10.40 વાગ્યે કારેલીબાગના 66 કેવી સેન્ટર પર ભેદી સંજોગોમાં ધડાકો થતાં વીજ કંપનીના એન્જિનીયરો અને ટેક્નિકલ સ્ટાફમાં અફરાંતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં એમજીવીસીએલ અને જેટકોના ટોચના અધિકારીઓ ટેક્નિકલ સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા જહેમત ઉઠાવી હતી. પરંતુ રાતના 12.45 વાગ્યા સુધી વિજ પ્રવાહ પૂર્વવત કરવામાં વીજ કંપનીના અધિકારીઓને સફળતા મળી ન હતી. અચરજની વાત તો એ છે કે અંધારપટનો સામનો કરી રહેલા વિજ ગ્રાહકો વીજ ઓફીસને કોઇપણ જાતની ફરિયાદ ના કરે એટલે કારેલીબાગ સબ સ્ટેશનનો લેન્ડ લાઇન ફોન કર્મચારીઓએ બાજુ ઉપર મુકી દીધો હતો. જેને કારણે વીજ ગ્રાહકો વધુ પરેશાન થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.