તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના માંજલપુરના આધેડનું વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની ટકકર વાગતા ગંભીર ઇજાઓનાં કારણે મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર શહેરના માંજલપુર પરમપાર્ક ફ્લેટમાં 47 વર્ષના સંજય પ્રભાકર કુલકર્ણી રહેતા હતા. તેઓ આજે સવારે વિશ્વામિત્રી રેલવે સ્ટેશન અને મકરપુરા રેલવે સ્ટેશન રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કર વાગતા દૂર ફંગોળાયા હતા. તેઓનું ગંભીર ઇજાઓનાં કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.