તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા એરપોર્ટથી આગામી 28 માર્ચથી જયપુર અને ચેન્નાઈ માટે ડેઇલી ફ્લાઇટ શરૂ થશે. આ સાથે વડોદરા એરપોર્ટ પર કુલ 9 ડોમેસ્ટિક ફ્લાઇટ શિડ્યૂલ કાર્યરત થશે. કોરોના મહામારી અગાઉ વડોદરા એરપોર્ટથી 11 જેટલી ફ્લાઇટ કાર્યરત હતી.
વડોદરા એરપોર્ટ સત્તાધીશો મુજબ આગામી એપ્રિલ મહિનામાં દિલ્હી માટે એર ઇન્ડિયાની સવારની ફ્લાઈટ શરૂ થવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ સાથે અન્ય ફ્લાઇટ પણ એપ્રિલ મહિનામાં શરૂ થાય તેવા એંધાણ વર્તાય છે. જેને પગલે કોરોના મહામારી પૂર્વે જેવી સ્થિતિ એરપોર્ટ પર થશે અને વડોદરા એરપોર્ટ મુસાફરોથી ધમધમતુ થશે.
વડોદરાથી શરૂ થનારી ચેન્નાઈની ફ્લાઇટ 11:25 વાગે ચેન્નાઈથી ઉપડી 1:45 વાગે વડોદરા આવશે. બપોરે 2 વડોદરાથી ઉપડી 4:40 વાગે ચેન્નાઈ પહોંચશે. જ્યારે જયપુર ફ્લાઇટ 1:00 વાગે જયપુરથી ઉપડી બપોરે 2:45 વડોદરા આવશે. 3.20 વાગે વડોદરાથી ઉપડી 5 વાગે જયપુર પહોંચશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.