તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા 30 વર્ષના યુવકે વાસદ બ્રીજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. તદુપરાંત સાવલીના રાણીયા ગામના યુવકે પણ બ્રિજ પરથી ઝંપલાવ્યુ હતું.
નંદેશરી પોલીસ મુજબ છાણી જકાતનાકા વિસ્તારની વાસુ રેસીડેન્સીમાં રહેતો ૩૦ વર્ષનો ઇમાન્યુઅલ છોટાભાઈ મકવાણા ગોરવાની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેના પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને એક બહેન છે . ઇમાન્યુઅલને આંખની તકલીફ હતી. ગત 12મી તારીખે તેણે વાસદ બ્રીજ પરથી મહીસાગર નદીમાં ભૂસકો માર્યો હતો. ઘટનાની જાણ થતા નંદેશરી પોલીસ સ્થળ પર પહોંચતાં ફાજલપુર નજીક થી ઈમાન્યુઅલની લાશ મળી હતી. આંખની તકલીફથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બીજા બનાવમાં સાવલી તાલુકાના રાણીયા ગામનો 20 વર્ષના કેતન રામસિંહ ડામોરે વાસદ બ્રિજ પરથી 13મી તારીખે બપોરે ભૂસકો માર્યો હતો. બનાવના પગલે ફાયર બ્રિગેડ અને નંદેશરી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. ફાજલપુર નજીકથી કેતનનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.