ધો.12 સાયન્સમાં ગુણ ચકાસણીના 100 રૂપિયા, ઉત્તરવહી અવલોકનના 300 રૂપિયા, ઓએમઆર ઝેરોક્સ વેરિફિકેશનના 100 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. બોર્ડે પરિણામ બાદની કાર્યવાહી અને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ગુણ ચકાસણી–ઉત્તરવહી અવલોકન-દફતર ચકાસણી, નામ સુધારા માટેના અને એબી ગ્રૂપના ઉમેદવારોના એ કે બી ગ્રૂપનો વિકલ્પ આપવાના તથા ઉત્તીર્ણ ઉમેદવારોને પરિણામ રદ કરાવી પુનઃ ઉપસ્થિત થવા માટેની અરજીના નમૂના બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે. પરિણામ બાદ ગુણ ચકાસણી, અવલોકન, ઓએમઆરની ઝેરોક્સ મેળવવા માટેની અરજીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.
ગુણ ચકાસણી અને ઉત્તરવહીના અવલોકનના નિયમો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.