તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનમાં જંબુસરની કંપનીઓ સહિત અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા 1 હજાર શ્રમિકો બેરોજગાર બનતા ખાવાના ફાંફા પડી રહ્યા છે. હવે તેઓ વતન જવા અધીરા બન્યા છે. પરપ્રાંતિયોએ વતન જવા ઉછીના રૂપિયા લઇ ટ્રેનના ભાડાની રકમ જમા કરાવી છતાં વતનમાં જવા કોઈ સંદેશો ન મળતાં જંબુસર મામલતદાર કચેરી ખાતે મામલતદાર બી.એ.રોહિત અને ધારાસભ્ય સંજય સોલંકીને રજૂઆત કરી હતી. ઉપરાંત પ્રાંત કચેરી ખાતે જઇ યુપી, બિહાર અને ઝારખંડના 5-7 પરપ્રાંતિયોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી પ્રાંત અધિકારી એ.કે. કલસરિયાને રજૂઆત કરી હતી.પીઆઇ કંપનીમાં માર્ચથી પગાર કરાયો નથી તે સહિત વહેલીતકે વતન જવાની માંગણીઓ સાથે વેદના ઠાલવી હતી. પ્રાંત અધિકારીએ થોડી ધીરજ અને સંયમ રાખો બે-ત્રણ દિવસમાં વતન મોકલવાની વ્યવસ્થા કરી દેવાશે તેવી હૈયાધારણા આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.