તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વર્ષોની પરંપરા મુજબ ડભોઇ નગરજનો નુતનવર્ષે પૌરાણિક ઐતિહાસિક વાઘનાથ મહાદેવના મંદિરે મોટી સંખ્યામા સ્વંય ઉમળકા, ઉત્સાહ અને ધાર્મિક આસ્થા સાથે વહેલી સવારથી જ દર્શનાર્થે પહોંચી ભગવાન શિવના આશિર્વાદ સાથે નુતનવર્ષની શરૂઆત કરતા આવ્યા છે. ત્યારે વાઘનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા નુતનવર્ષ નિમિત્તે મંદિરને નવા રંગરોગાન, ધજાપતાકા, લાઇટ, ડેકોરેશનથી શણગારવામા આવ્યુ છે. નગરજનો નવીન વસ્ત્રો પરીધાન કરી સહપરીવાર ભગવાન વાઘનાથ મહાદેવના દર્શન સાથે આશિર્વાદ લઈ પોતાની જાતને ધન્ય બનાવી રહ્યા છે.
હિન્દુ સમાજના સૌથી મોટા પર્વ પ્રકાસોત્શવ દિવાળીના તહેવારની ઉમંગ, ઉત્સાહ અને ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી કરાઇ રહી છે. ડભોઇની ધર્મપ્રેમી જનતા દરેક ધાર્મિક તહેવારોને કોમી ભાઇચારા સાથે ઉત્શાહ પુર્વક ઉજવણી કરતી હોવાથી દિવાળી પર્વે બેસતા વર્ષના રોજ વહેલી સવારથી જ રેલ્વે સ્ટેશન નજીક આવેલા પૌરાણિક વાઘનાથ મહાદેવ મંદિરે સહપરીવાર જઈ ભક્તિભાવ અને ધાર્મિક આસ્થા સાથે ભગવાન મહાદેવના દર્શન કરી આશિર્વાદ મળેવી નવુ વર્ષ શુભ અને આરોગ્યપ્રદ નિવડે, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સાથે દેશ અને દુનિયાના કલ્યાણ અર્થે દર્શનાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી નવા વર્ષની શરૂઆત કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવતી હોય.
વાઘનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી નિલેષભાઇ એસ. ગોસ્વામી તેમજ પ્રકાશભાઇ શાહ દ્વારા વાઘાનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થીઓ માટે તમામ વ્યવસ્થા કરવા સાથે સાફસફાઇ, રંગરોગાન અને લાઇટ ડેકોરેશન પણ કરવામા આવ્યુ હોય નગરજનોમા ખુશી વ્યાપી જવા પામી હતી.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.