તાપી જિલ્લાના વ્યારા સ્થિત અટલ બિહારી વાજપેઇ આવાસ દ્વારા અજાણી ભૂલી પડેલી યુવતીનો કેસ સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે રીફર કરવામાં આવ્યો હતો. વ્યારાના અટલ બિહરી વાજપેઇ આવાસના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, યુવતી રેલ્વે સ્ટેશન વ્યારાથી10.5.22ના રોજ મળી હતી અને યુવતી ઘરે જવા માંગતી ન હોવાથી કાઉન્સલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. જે બાદ યુવતીના માતા-પિતા અને પરિવારજનો સાથે સંપર્ક કરાવી આપવામાં આવ્યો હતો.
માતા-પિતાને સેન્ટર ખાતે બોલાવી કાઉંન્સેલિંગ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે હવે પછી યુવતીને ત્રાસ ન આપે અને સારી રીતે રાખવામાં આવે. કાઉન્સલિગ બાદ તાજેતરમાં યુવતીનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. યુવતી મળ્યાના સમયથી તેના પરિવારને સોંપવા સુધી સખી વન સ્ટોપ સેન્ટર તાપીખાતે આશ્રય સેવા, પરામર્શ સેવા તેમજ તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.