તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થાનગઢ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામો હાથ ધર્યા હતા. જેમાં રૂ.2.25 કરોડના ખર્ચે રસ્તા બનાવવાનું આયોજન કરાયુ હતુ. આથી શહેરના વાદીપરા, વગડીયારોડ બનાવવાના કામનું ખાત મુહુર્ત કરાયુ હતુ. જે કામ પુર્ણ થયે લોકોને બિસ્માર રસ્તાથી મુક્તી મળશે.થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે યુડીપી અંતર્ગત વર્ષ 20-21 માટે રૂ.23 કરોડની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે. આથી થાનપાલિકા ટીમ દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે.
જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તા બનાવવા 2.25 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં શહેરના વાદીપરા, વગડીયારોડ વિસ્તારના રસ્તાનું ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયાએ જણાવ્યુ કે ઝડપથી કામ પુર્ણ થાય એના પર ધ્યાન આપવામાં આવશે ઉપપ્રમુખ જીતુભાઇ પુજારા, મહામંત્રી કરશનભાઇ સહિત યુવાભાજપ કાર્યકરો અને નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.