પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમા 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ'' ઉગતા પહેલા છેલ્લુ તોરણ દિગડીયા ગામેં બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા.
હરપાળદેવ જેવા મહાપ્રતાપી રણવીરની જીવનસંગીની બનનાર શક્તિદેવી એક જાજલ્યવાન વિરાંગના હતી. એના વિરત્વને જોઇને ભલભલા વિરલા પણ મોંમા આંગળા નાખી જતા. શક્તિદેવી એ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા. ગુજરાતમાં જે સમયે સોલંકી વંશના રાજાઓનુ સાર્વભૌમત્વ હતુ. એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે.
એવા સુવર્ણકાળમાં વિ.સં. 1156મા મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતુ. શક્તિદેવીથી ત્રણ પુત્રો સોઢોજી (સોડસાલજી), માંગોજી અને શેખોજી (શેખરાજજી) તેમજ ઉમાદેવી નામની પુત્રી જન્મી હતી.
એક દિવસ રાજમહેલના ચોગાનમાં આ બાળકો રમતા હતા. એવામાં રાજ્યનો એક હાથી ગાંડો થયો અને ચોગાનમા રમતા બાળકોને મારવા માટે તેમની પાછળ ધસમસતો દોડ્યો હતો. શક્તિદેવી ત્યારે રાજમહેલના ઝરૂખામાં બેઠા
દર વર્ષે ચૈત્ર વદ-13 ના રોજ ઝાલા કુળનો વંશજ ધામા મંદિરે દર્શન કરવા અચૂક જાય છે
પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં. 1171 ચૈત્ર વદ 13ના દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયા હતા.ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13 ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમા તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે. આજે એ બન્ને જગ્યાએ શક્તિમાતાનું ભવ્ય મંદિર ઊભું છે.
પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમિ, ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે
શક્તિમાના ધરતીમા સમાઇ ગયા બાદ હરપાળદેવ 16 વર્ષ ધામામાં પોતાનું શેષજીવન વિતાવે છે. અને વિ.સં. 1186મા ધામામા પોતાના દેહનો ત્યાગ કરે છે. પાટડી એ શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી અને ધામા એ શક્તિમાતાનું સમાધિસ્થળ છે. પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતુ એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.