સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુક્ત નગરપાલિકા બનાવી દીધા બાદ સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા બનાવવાની અટકળો તો વહેતી થઈ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે લીંબડીમાં કરેલા નિવેદનથી આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. મહાનગરપાલિકાની જાહેરાત થાય તો શહેરમાં વિકાસ ખૂબ ઝડપી બને પરંતુ સાથેસાથે જનતાને ટેક્સનું ભારણ પણી વધી જાય છે. વર્તમાન સમયે ભાજપ અને કૉંગ્રેસ બંને મહાનગરપાલિકા બને તેને સમર્થન આપે છે ત્યારે આગામી સમયમાં નાયબ મુખ્યમંત્રીની જાહેરાત સાચી પડે તેવી વાતો વહેતી થઈ છે.
22 જૂન 2020એ સંયુક્ત પાલિકા બની હતી
સુરેન્દ્રનગર અને વઢાવણ બે જોડિયા શહેરોની અલગ અલગ નગરપાલિકાઓ હતી, જેમાં સુરેન્દ્રનગર એ ગ્રેડની અને વઢવાણ બી ગ્રેડની પાલિકા હતી. આથી આ બંને પાલિકા એક કરી સંયુક્ત પાલિકા તા. 22-6-20એ જાહેર કરવામાં આવી હતી. ત્યારથી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા તરીકે ઓળખાય છે. આ 13 વોર્ડની સંયુક્ત પાલિકામાં ભાજપે બહુમતી સાથે ચૂંટણીમાં લોકમત મેળવી હાલ શાસન સંભાળી રહ્યા છે ત્યારે લીંબડીમાં શહેરીજન સુખાકારી દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરેન્દ્રનગર પાલિકા મહાનગરપાલિક બની શકે તેવું શહેર હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં વહેતી થતાં રાજકીય ગરમાટો ફેલાયો છે. બીજી તરફ લોકોને મહાનગરપાલિકા બને તો શું ફાયદા અને શું નુકસાની અને ટેક્સમાં કેટલો વધારો કે ઘટાડો થાય તે સહિત જાણવાણી ઉત્સુકતા જોવા મળી રહી છે.
કાંપ સ્ટેશનથી સંયુક્ત પાલિકા બનવા સુધીની તવારીખ
મહાનગરપાલિકા બને તો લોકોને આટલા લાભો મળે
કોઈ રજૂઆત કરાઈ નથી પણ સરકાર જાહેર કરે તો આવકાર્ય છે
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકા પ્રમુખ વિરેન્દ્ર આચાર્યએ કહ્યું- સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિક એ ગ્રેડની નગરપાલિકા છે. મહાનગરપાલિકા જાહેર થાય તો ગ્રાન્ટ વધુ આવે, આઇએએસ કક્ષાના કમિશનર મળે. મહાનગરપાલિકામાં ટેક્સમાં વધારો થાય. મહાનગરપાલિકા માટે 3 લાખથી વધુની વસ્તી જોઈએ. સંયુક્ત પાલિકાની વસ્તી 3 લાખથી વધુ થાય છે. હાલ સંયુક્ત પાલિકાને 6 માસ જેટલો સમય થયો છે મહાનગર પાલિકા અંગે કોઇ રજૂઆત કરી નથી. જો સરકાર જાહેર કરે તો તે આવકાર્ય છે.
મહાનગરપાલિકા જાહેર થાય તો સારી વાત છે પણ વાયદો પૂરો કરે તો સારું
સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડે કહ્યું- અગાઉ વડાપ્રધાન આવ્યા ત્યારે ઝાલાવાડને કોટન હબ બનાવવાનું કહ્યુ પણ હજુ સુધી કાંઈ થયું નથી એટલે એ વાત માત્ર વાયદો બનીને રહી ગઈ છે. ભાજપ માત્ર વાયદા કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. હાલ નાયબ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકા બની શકે તેમ કહ્યું તે સારી વાત છે. સંયુક્ત પાલિકાને જો સરકાર મહાનગરપાલિકા જાહેર કરે તો વિકાસનાં કામો ઝડપી થાય અને નવા પ્રોજેક્ટ આવે પરંતુ તે વાત વાયદો માત્ર ન રહેવી જોઈએ. અને મહાનગરપાલિકાને વર્ધમાન મહાનગરપાલિકા નામ આપવા માંગ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.