મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાઘોડાથી ફુલ્કી સુધીનો 25 કિ.મી.નો રોડ રૂ. 9 કરોડના ખર્ચે કામ શરૂ કરાયા બાદ અકસ્માતના પગલે કામ બંધ થતા ખારાઘોડા-ફુલકી રોડ ફરી ચાલુ ન કરાતા વાહનચાલકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે ખારાઘોડા-ફુલકી ચાલુ રોડનું કામ બંધ થવાનો મુદો સંકલન સમિતીમાં પણ જોરશોરથી ઉઠ્યો હતો. જેમાં માર્ગ મકાન અને પંચાયત વિભાગે આગામી અઠવાડિયે કામ ચાલુ કરવાની બાંયેધરી આપી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતુ.
પાટડી તાલુકાનું ખારાઘોઢા અને ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટુ સેન્ટર હોવાથી અહીંથી ટ્રકો દ્વારા મીઠાનું મોટા પાયે ગુજરાતમાં અને છેંક પર પ્રાંતમાં લોડીંગ થતુ હોવાથી ખારાઘોડા-પાટડી-ફુલકી અને વિરમગામ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો જ રહે છે. થોડા સમય અગાઉ ખારાઘોડા-ફુલકી વચ્ચેનો 25 કિ.મી.નો રસ્તો રૂ. 9 કરોડના ખર્ચે કામ શરૂ કરાયા બાદ ચાલુ કામે અકસ્માતમાં માર્ગ મકાન વિભાગના એક કર્મચારીનું ડોઝર નીચે આવી જતા મોત નિપજ્યું હતુ. જેના પગલે આ રોડનું કામ તાકીદે બંધ કરી દેવામાં આવ્યું હતુ.
આ ઘટનાને ત્રણ-ચાર માસ વિતવા છતાં માર્ગ મકાન અને પંચાયત વિભાગ દ્વારા કામ ચાલુ ના કરાતા લોકોમાં અને આ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. ત્યારે ખારાઘોડા-ફુલકી ચાલુ રોડનું કામ બંધ થવાનો મુદો પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતીની બેઠકમાં દસાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા.
આ સંકલન સમિતીની બેઠકમાં આ મુદો પણ જોરશોરથી ઉઠયો હતો. જેમાં માર્ગ મકાન અને પંચાયત વિભાગે આગામી અઠવાડિયે કામ ચાલુ કરવાની બાંયેધરી આપી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.