તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રાંગધ્રાની ખાનગી કંપની દ્વારા અગરીયાઓએ મહેનતથી પકવેલ મીઠાના બજાર કરતા ઓછા ભાવે ખરીદી કરતી હોવાની અને કંપનીના ભાવે મીઠુ ન આપતા અગરીયાઓને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે પ્રતિક ઉપવાસ પર ઉતરેલ છે. જેના છેલ્લા ચાર દિવસથી આગરીયાઓ ઉપવાસ આંદોલન કરવા છતા અધિકારીઓ અને વહિવટી તંત્રમાંથી કોઇ ન ફરકતા રોષની લાગણી છવાઇ છે. ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં વર્ષોથી અગરીયા પરિવારો મીઠુ પકવી ગુજરાજ ચલાવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાની ખાનગી કંપની દ્વારા અરગરીયાઓને તેમણે નક્કી કરેલા ભાવે મીઠુ વેચવા અને બજાર ભાવ કરતા ઓછા ભાવ આપતા હોવાથી અગરીયાઓ રોષે ભરયા છે. જ્યારે કંપની દ્વારા વેપારીઓને પણ મીઠુ ખરીદવાની ના પાડી વેપારીઓને ધકી આપતા અગરીયાઓને મીઠુ કંપનીને જ આપવુ પડતા ન્યાયની માંગણી સાથે અગરીયાઓ કુડા પાસે પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે.
જેમાં અગરીયા આગેવાન સહિત 40થી વધુ અગરીયાઓ ઉપવાસ પર બેઠા હોવા છતા કોઇ આગેવાન કે અધિકારી કે વહિવટી તંત્રનું ન આવતા રોષની લાગણી ફેલાઇ છે. જ્યારે ચકુજી ઠાકોર, ગુણવંતભાઇ ઠાકોર, મહિપતભાઇ સનુરા સહિત અગરીયાઓઅ જણાવ્યુ કે કંપની રણની જમીન છે તેવુ કહી અગરીયાઓની બહાર મીઠુ વેચાણ કરવા દેતી નથી જ્યારે બજારભાવ 330 થી 350 ની સામે 170 રૂપીયામાં પ્રતિટન મીઠુ માંગે છે. અગરીયા પરીવારો ત્રણ પેઢીથી મીઠુ પકવીએ છીએ આ એક પ્રકારનો અમારા પર જુલમ કહેવાય આવો જુલમતો અંગ્રેજો પણ નહોંતા કરતા જો અમારી માંગ પુરી નહીં કરવામાં આવેતો આગામી સ
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.