તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કોરોનાથી મોતની સંખ્યા વધી રહી છે. જિલ્લામાં શનિવારે પણ કોરોનાની સારવાર લેતા 4 દર્દીઓના મોત થયા છે. ત્યારે કોરોનાકાળના 219 દિવસો પર નજર કરીએ તો 17 દિવસો એવા છે કે જેમાં 3 કે તેથી વધુ દર્દીઓના મોત થયા છે. જયારે 40 દિવસો 20 કે તેથી વધુ કેસો નોંધાયા છે. આ ઉપરાંત 50 કે તેથી વધુ દર્દીઓ સાજા થયા હોય તેવા 10 દિવસો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તા. 24 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારે અત્યાર સુધીના કોરોના કાળના 219 દિવસો પર નજર કરીએ તો 40 દિવસો એવા છે કે, જેમાં 20થી વધુ કેસો નોંધાયા હોય. સૌથી વધુ કેસ તા. 7 સપ્ટેમ્બરના રોજ 61 નોંધાયા હતા. જયારે 3 કે તેથી વધુ મોત થયા હોય તેવા 17 દિવસો છે.
જિલ્લામાં સૌથી વધુ મોત તા. 26 નવેમ્બરે 6 નોંધાયા હતા. છેલ્લા થોડા દિવસોથી કોરોનામુકત દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે જે જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે. કોરોના કાળના 10 દિવસ તો એવા છે જેમાં 50થી વધુ દર્દીઓ કોરોનામુકત થયા હોય. શનીવારે પણ જિલ્લામાં કોરોનાના 13 કેસ નોંધાયા છે. જેમાં લખતરનો 32 વર્ષીય યુવાન અને જિલ્લાના અન્ય ભાગોના 12 લોકો કોરોના સંક્રમીત થયા છે. 13 કેસ સાથે જિલ્લાનું કોરોના મીટર 2994 પર પહોંચ્યુ છે. જિલ્લામાં આજે કોરોનાનો આંક 3 હજારને પાર જવાની શકયતા છે. આ ઉપરાંત જિલ્લામાં શનીવારે 4 વ્યકિતઓને કોરોના ભરખી ગયો છે. સુરેન્દ્રનગર શહેરના 80 વર્ષીય વૃધ્ધ, લીંબડીના 65 વર્ષીય વૃધ્ધ, પાટડી તાલુકાના શેડલાના 80 વર્ષીય વૃધ્ધાઅને લખતરના 60 વર્ષીય પુરૂષનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયુ છે. શનીવારના 4 મોત સાથે જિલ્લામાં કુલ મૃત્યુ આંક 188 થયો છે.
શનિવારે કોરોનાથી સુરેન્દ્રનગર, લીંબડીના વૃદ્ધ, પાટડીના વૃદ્ધા તેમજ લખતરના પુરુષ કોરોનાથી મૃત્યુ પામ્યાં
આ દિવસોમાં 20થી વધુ કેસ
તારીખ | કેસ |
10 જુલાઇ | 20 |
12 જુલાઇ | 42 |
14 જુલાઇ | 29 |
15 જુલાઇ | 31 |
16 જુલાઇ | 34 |
17 જુલાઇ | 37 |
20 જુલાઇ | 29 |
21 જુલાઇ | 26 |
23 જુલાઇ | 48 |
26 જુલાઇ | 47 |
28 જુલાઇ | 41 |
30 જુલાઇ | 30 |
31 જુલાઇ | 25 |
1 ઓગસ્ટ | 29 |
5 ઓગસ્ટ | 22 |
7 ઓગસ્ટ | 24 |
8 ઓગસ્ટ | 20 |
20 ઓગસ્ટ | 20 |
2 સપ્ટેમ્બર | 23 |
7 સપ્ટેમ્બર | 61 |
9 સપ્ટેમ્બર | 32 |
11 સપ્ટેમ્બર | 29 |
12 સપ્ટેમ્બર | 60 |
14 સપ્ટેમ્બર | 44 |
15 સપ્ટેમ્બર | 44 |
19 સપ્ટેમ્બર | 59 |
22 સપ્ટેમ્બર | 48 |
23 સપ્ટેમ્બર | 30 |
28 સપ્ટેમ્બર | 29 |
30 સપ્ટેમ્બર | 24 |
1 ઓકટોબર | 21 |
2 ઓકટોબર | 20 |
8 ઓકટોબર | 24 |
18 ઓકટોબર | 21 |
20 ઓકટોબર | 30 |
22 ઓકટોબર | 26 |
26 ઓકટોબર | 22 |
5 નવેમ્બર | 23 |
7 નવેમ્બર | 20 |
14 નવેમ્બર | 33 |
આ દિવસોમાં 3થી વધુ મોત | |
તારીખ | મોત |
20 જુલાઇ | 4 |
27 સપ્ટેમ્બર | 3 |
28 સપ્ટેમ્બર | 5 |
2 ઓકટોબર | 3 |
4 ઓકટોબર | 4 |
8 ઓકટોબર | 3 |
9 ઓકટોબર | 4 |
27ઓકટોબર | 3 |
28 ઓકટોબર | 3 |
10 નવેમ્બર | 3 |
19 નવેમ્બર | 5 |
20 નવેમ્બર | 5 |
21 નવેમ્બર | 3 |
23 નવેમ્બર | 5 |
25 નવેમ્બર | 4 |
26 નવેમ્બર | 6 |
28 નવેમ્બર | 4 |
આ દિવસોમાં 50થી વધુ દર્દીઓ કોરોનામુકત થયા | |
તારીખ | કોરોનામુકત |
20 જુન | 51 |
19 સપ્ટેમ્બર | 65 |
2 ઓકટોબર | 99 |
6 ઓકટોબર | 55 |
10 ઓકટોબર | 86 |
13 ઓકટોબર | 57 |
26 ઓકટોબર | 50 |
28 ઓકટોબર | 72 |
6 નવેમ્બર | 127 |
21 નવેમ્બર | 67 |
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ તા. 24 એપ્રિલના રોજ થાનના આધેડનો નોંધાયો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.