તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરમાં ઔધોગીક ક્ષેત્રના વિકાસ માટે જીઆઇડીસીમાં પ્લોટ અને સેડ બનાવવામાં આવ્યા છે. જેમાં 998 પ્લોટ અને 224 સેડ આવેલા છે. જે પૈકી 4 પ્લોટ પરવાના વગર અનઅધિકૃત હેતુ માટે વાપરવામાં આવતા હોય પ્લોટ માલિકોની કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.
સુરેનદ્રનગર જીઆઇડીસીમાં અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. મંદિથી લઇને નાની મોટી અનેક સમસ્યાઓને કારણે ઘણા ઉદ્યોગોની હાલત ખુબ કફોડી બની ગઇ છે. અને આથી જ ઘણા ઉદ્યોગો તો બંધ પણ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગોના વિકાસ માટે જીઆઇડીસીમાં 998 પ્લોટ અને 224 સેડ બનાવવામાં આવ્યા છે. જે પ્લોટ અને સેડ ઉદ્યોગ કરવા માંગતા લોકોને 30થી લઇને 100 વર્ષના ભાડા કરારથી આપવામાં આવે છે.
આ બાબતનો પ્રશ્ન વિધાનસભામાં પુછવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને કેટલા પ્લોટ પરવાના વગર અનઅધિકૃત હેતુ માટે વાપરવામાં આવતા હોવાનું પુછાયુ હતુ. જેના જવાબમાં હાલના સમયે 4 પ્લોટ પરવાના વગર અનઅધિકૃત હેતુ માટે વાપરવામાં આવી રહયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ પ્લોટ માલિકને કારણદર્શન નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમની સામે છ મહિનામાં કાર્યવાહી પુરી કરવાનો સમય પણ આપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.