તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીને લઇને એસટી ડેપો પર મુસાફરોની સંખ્યા પાંખી દેખાતી હતી. પરંતુ તહેવારોના દિવસોને લઇને મુસાફરો અવરજવર થતા જિલ્લાના ડેપોમાં અ ંદાજે 25 ટકા જેટલા મુસાફરો વધતા એસટી તંત્રમાં રાહતની લાગણી ફેલાઇ હતી.રાજકોટ એસટી ડિવીઝન દ્વારા સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા ડેપોમાંથી અંદાજે 160 જેટલી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યુ છે. પરંતુ ખોટનો ખાડો પૂરવા માટે સંઘર્ષ કરતુ એસટી તંત્રને કોરોનાની મહામારીને લઇને પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો.
લોકડાઉન બાદ પણ એક સમયે એક મુસાફર કે ખાલીખમ એસટી બસ લઇને તંત્રને દોડવુ પડયુ હતુ. અને એક સમયે સામાન્ય દિવસોમાં ફુલેફુલ જતી એસટી બસોમાં માત્ર 60 ટકા જ મુસાફરો આવતા હતા. પરંતુ જેમ જેમ દિવાળી અને નવા વર્ષના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ એસટી બસોમાં મુસાફરો આવતા થતા તંત્રમાં રાહતની લાગણી ફેલાઇ હતી. પરિણામે તા. 12 અને 13 સપ્ટેમ્બરે વધુ ટ્રાફિક ડેપોમાં દેખાયુ હતુ. આમ તા. 10 થી 15 સપ્ટેમ્બર સુધીમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલા ડેપોમાં અંદાજે 25 ટકા જેટલા મુસાફરોનો વધારો થયો હોવાનું એસટી તંત્ર દ્વારા જણાવાયુ હતુ.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.