સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણી માટે ખેડૂતોની રેલી મામલે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટરે ખોડુ ગામે રૂબરૂ આવી આવેદનપત્ર સ્વિકારતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ઇન્ચાર્જ કલેક્ટર દ્વારા પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આગામી છ દિવસમાં પાણી આપવા અંગે નક્કર પગલા લેવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
સુરેન્દ્રનગરના ખોડુ ગામે પાણી આપવાની તંત્રની બાહેંધરીથી મામલો માંડ થાળે પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 31 ગામોના ખેડૂતોને આગામી એક સપ્તાહમાં પાણી આપવામાં આવશે એવી બાંહેધરી અપાતાં રેલી મોકૂફ રાખવામાં આવી હતી. તેમજ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી મોકૂફ રાખી પ્રશાસનની ખાતરીને માન્યતા આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના પાણી માટે ખેડૂતોની રેલી મામલે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ કલેક્ટરે ખોડુ ગામે રૂબરૂ આવી આવેદનપત્ર સ્વિકારતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તાત્કાલિકપણે ગાંધીનગર ખાતે ખેડૂતોના પ્રશ્ને દોડી ગયા હતા. હાલમાં તો આગામી એક સપ્તાહમાં સુરેન્દ્રનગર જિલ્લાના 31 ગામોને સૌની યોજનામાં પાણી આપવાની ખાત્રી પ્રશાસને આપતાં રેલી મોકૂફ રખાઇ હતી અને ખેડૂતો શાંત પડ્યા હતા.
ખેડૂત આગેવાન પાલભાઇ આંબલિયાની હાજરીમાં પ્રશાસન અને ખેડૂત વચ્ચે વચગાળાનો રસ્તો કાઢવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ કલેક્ટરે પાણી આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જો કે આગામી છ દિવસમાં પાણી આપવા અંગે નક્કર પગલા લેવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.