તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ શહેરની જેમલખવાસની શેરી અંદર વાળંદ પરિવારો રહે છે. પરંતુ અહીં આવેલી ભૂર્ગભ ગટરો બ્લોક થઇ જતા છેલ્લા અઢી માસથી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા રોગચાળાનો ભય ફેલાયો છે. આથી વહેલી તકે આ વિસ્તારમાં ગટરની કામગીરી કરીને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી રહીશોમાં માંગ ઉઠી હતી.વઢવાણની વાળંદ શેરીમાં છેલ્લા અઢી માસથી રહીશો પરેશાન બની ગયા છે. હરપાલભાઈ અરવિંદભાઈ બાવળીયા, ઘનશ્યામભાઈ રામજીભાઈ બાવળીયા, ગોપાલભાઈ બાવળીયા, પિયુષભાઈ બાવળીયા, પિયુષભાઈ બાવળીયા, હિનાબેન ઘનશ્યામભાઈ બાવળીયા, રીનાબેન બાવળીયા, શારદાબેન બાવળીયા સહિતના રહીશોએ જણાવ્યું કે, મોટા પીર ચોક જેમલખવાસની શેરી અંદર વાળંદની ખડકીમાં હાલ અત્યારે કોરોના વાયરસની મહામારીમાં પણ છેલ્લા અઢી અઢી માસથી ભૂર્ગભ ગટરમાંથી ખરાબ પાણી ડેલી પાસે તેમજ લોકોના રહેણાંક મકાનોમાં ભરાઇ જાય છે.
આ વિસ્તારમાં અંદાજે 20 જેટલા મકાનો આવેલા છે અને અહીં આવા પાણીના કારણે રોગચાળાનો ભય રહે છે. આ બાબતે વારંવાર નગરપાલિકાના સુપરવાઇઝર, સદસ્યો સહિતનાઓને રજૂઆતો કરવા છતાં હજુ સુધી આવા ખરાબ પાણીનો નિકાલ કરાતો નથી કે નથી કોઇ કામગીરી કરાતી. આથી યોગ્ય કાર્યવાહી કરાવામાં આવે તેવી અમારી માંગ છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.