રોગચાળો વકર્યો:સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા ડબલ ઋતુના કારણે રોગચાળો ફાટી નિકળ્યો છે. દરરોજના 200થી વધુ દર્દીઓનો OPDમાં નોંધાઇ રહ્યાં છે. લગ્નગાળા સહિત ડબલ ઋતુના કારણે કફ, તાવ, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના રોગોમા ચિંતાજનક વધારો થયો છે. સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો સારી સુવિધા અને ઈલાજ થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને સરકારી ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરની ટીમો રોગચાળાને ડામવા કામે લાગી છે. સરકારી આર્યુવેદીક હોસ્પિટલમા ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે. ગ્રામીણ વિસ્તારોમાં ચાલતા CHC કેન્દ્ર અને PHC કેન્દ્ર પર પણ દર્દીઓને પૂરતી સેવાઓ મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

હાલમાં બેવડી ઋતુના કારણે રોગચાળો બેકાબુ બની રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજના 100 કેસ અને ખાનગી હોસ્પિટલોમા અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલમાં તાવ અને વાયરલ બિમારીનો શિકાર બનેલા બાળકોના દરરોજ 100 જેટલા કેસ આવી રહ્યા છે. જ્યારે ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે 200 કેસ આવતા હોવાનું જાણવા મળે છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે. નગરપાલિકા દ્વારા શહેરમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ વરસાદી પાણીના ખાબોચીયા ભરાયા હોય ત્યાં પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ત્યારે જ બાળકોમાં તાવ અને વાયરલ, ઉધરસ અને કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગરના પિડિયાટ્રીક ડો.ભરત મુલીયાએ જણાવ્યુ કે, હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમા ઠંડકને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ (નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંક ફુડથી દુર રાખવા જોઈએ. એટલુ જ નહીં તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...