તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવાર બાદ ગુરૂવારે પણ કોરોના નિલ રહ્યો છે. બીજી તરફ વધુ 6 દર્દીઓ કોરોનામુકત થતા કુલ કોરોનામુકત દર્દીઓની સંખ્યા 3200ને પાર થઇ 3202 પર પહોંચ્યો છે. જયારે વધુ 137 સરકારી કર્મચારીઓને ગુરૂવારે કોરોનાની રસી અપાઇ છે. નોંધીનય છે કે, જિલ્લામાં કેટલાક સમયથી કોરોનામુક્ત દર્દીઓ વધતાં એક્ટિવ કેસ 10 જ રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી સામે આવે છે. બીજી તરફ નિયમીત રીતે કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ મુકત થતા કોરોનામુકતની સંખ્યા વધી રહી છે. ગુરૂવારે 6 દર્દીઓ કોરોનામુકત થતા જિલ્લામાં કોરોનામુકત દર્દીઓની સંખ્યા 3200ને પાર થઇને 3202 પર પહોંચી છે.
જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના નિલ આવ્યો હતો. બુધવારે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ત્યારે ગુરૂવારે પણ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ ધ્યાને આવ્યો નથી. જેને લીધે કોરોનાના કેસોની સંખ્યા 3439 પર સ્થીર રહી છે. જયારે ગુરૂવારે જિલ્લામાં કોરોનાથી એકપણ મોત થયુ નથી. જિલ્લામાં ચાલી રહેલા વેકસીનેશન કાર્યક્રમમાં ગુરૂવારે 12 જગ્યાએ રસીકરણ કાર્યક્રમ હાથ ધરાયો હતો. જેમાં 137 કર્મચારીઓએ રસી લીધી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.