વિપાક ખરીદીનો પ્રારંભ કરાશે:3000 ખેડૂત પાસેથી ચણાની ખરીદી કરાશે : મણે રૂ.1067 ખેડૂતોને ચૂકવાશે

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં ટેકાના ભાવે રવિપાક ખરીદીનો પ્રારંભ કરાશે

વઢવાણ માર્કેટીંગયાર્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો છે.જેમાં 3 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાથી ક્રમશ: ખરીદી કરવામાં આવનાર છે. વઢવાણ તાલુકાના ખેડૂતોને કપાસના ભાવ તળીયે પહોંચતા ચણા અને રાયડાના ભાવ બાબતે આશા બંધાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા છે. જેમાં કપાસના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.ત્યારે કેન્દ્ર સરકારે રવિપાકોને ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ખરીદી માટે કેન્દ્રો જાહેર કરાયા છે.

જે અંતર્ગત વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ચણાની ખરીદીનો પ્રારંભ બુધવારે કરાયો છે.આ તકે ચેરમેન રામજીભાઇ ગોહીલ, સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવનાર છે.જેમાં ચણા પ્રતિક્વિન્ટલ રૂ.5375 અને રાયડો 5450ના ભાવે ખરીદી કરાશે.

આ અંગે સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે વઢવાણ તાલુકાના 3 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણ ખરીદી કરાશે.વઢવાણમાં હાલ ચણાની ખરીદી શરૂ થઇ છે.જેમાં એક મણે રૂ.1067 ખેડૂતોને ચુકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...