તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં રામજન્મભુમી ભવ્ય મંદિર નિર્માણઅર્થે દેશભરમાં રામજન્મભુમી સમર્પણ નિધિ સમિતિ દ્વારા મકરસંક્રાંતિથી મહાપુર્ણિમા સુધી સમર્પણ નિધિ અભિયાન ચલાવાઇ રહ્યુ છે. જે અંતર્ગત સુરેન્દ્રનગરમાં પણ લોકો ફાળો આપી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના સાવા હેલ્થ લીના ડાયરેક્ટર વિશાલભાઇ જાદવે રામમંદિર નિર્માણ અર્થે 10 લાખની સમર્પણ નિધિ આપી હતી. આ અંગે ઉધોગ પતિએ જણાવ્યુ કે દુબઇમાં સ્વામિનારાયણ મંદિરમાં દાન આપ્યુ હતુ ત્યારે હાલ વર્ષોના સંધર્ષ બાદ રામમંદિર આકાર લઇ રહ્યુ હોવાથી રામે પ્રેરણા આપી એટલે સમર્પણ નિધી અર્પણ કરૂ છું રામે આપેલા છે જે રામને અર્પણ કરૂ એમાં કોઇ મોટી વાત નથી. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, જયેશભાઇ શુકલ, મનહરસિંહ ઝાલા, ખિમજીભાઇ પ્રજાપતિ સહિત રામમંદિર સમર્પણ નિધિ સમિતિના આગેવાનો તથા વિશ્વ હિન્દુ પરિષદન, આરએસએસ, બજરંગદળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.