સુરેન્દ્રનગર જિલ્લામાં તા.18 મે-2022ને બુધવારે 32 કેન્દ્ર પર 917 લોકોએ કોરોના માટે રસી મૂકાવી હતી. જ્યારે આ દિવસે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધીમાં 15,87,002 પુરૂષો તેમજ 13,78,905 મહિલાઓ સહિત 29,97,656 લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લાના 14,61,358 લોકોએ પ્રથમ તેમજ 15,05,060 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
જ્યારે 31,238 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 23,67,988 અને કોવેક્સિનની 5,78,322 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 51,346 કોબર વેક્સનની ડોઝ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.