સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગામના દીક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના 13 જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ દીક્ષા સમારોહમાં લખતર નાયબ મામલતદાર સહિતના ભાઈ-બહેનોએ દીક્ષા અંગીકાર કરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સાંભળવા મળી રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના માલવણ ગામે દીક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના 13 જેટલા લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ દીક્ષાધામના કાર્યક્રમમાં ધર્મચાર્ય મિત્રસેને બૌદ્ધ ધર્મ અંગે પ્રવચનો કર્યા હતા.
આ દીક્ષા સમારોહમાં લખતરના નાયબ મામલતદાર સહિતના ભાઈ-બહેનોએ દીક્ષા અંગીકાર કરતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. જેમાં પ્રવચન બાદ પ્રતિજ્ઞા લેવડાવીને દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એક સાથે 13 લોકોએ હિન્દૂ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.