તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળી તાલુકાનાં નાયકા પાસે આવેલા ડેમમાંથી તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવાની વાતો કરાતી હતી. બીજી તરફ રવીપાકનું વાવેતર કરતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. જેને ધ્યાને લઇ તંત્ર દ્વારા નાયકા ડેમમાંથી પાણી ન છોડાતા મૂળી પંથકના છ ગામનાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ વર્ષે સમગ્ર ઝાલાવાડમાં વરસાદ વધુ પ્રમાણમાં પડતા ખેડુતોનાં પાક સુકાઇ ગયા હતા અને મોટાભાગના ડેમો અને તળાવો છલોછલ છે
ત્યારે રવીપાકનુ ખેડુતો દ્રારા વાવેતર પણ કરી દેવાયુ છે જેમા મૂળી તાલુકામાં આવેલ નાયકા ડેમમાંથી કેનાલ મારફતે 6 જેટલા ગામોને પાણી પહોચાડમાં આવે છે અને 600૦ હેકટર જમીન તૂપ્ત થાય છે. કુકડા, ગૌતમગઢ, મૂળી, ગોદાવરી, શેખપર અને દિગસરમાં પાણીના અભાવે રવીપાક લેવો મુશ્કેલ બન્યો હતો. આ અંગે ખેડુતો ધીરેન્દ્રસિંહ પરમાર અજયસિંહ સહિતનાંઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા અત્યાસુધી પાણી છોડવાની વાતો કરવામાં આવતી હતી જેથી પશુ પાલકોની પરિસ્થિતિ વધારે ખરાબ બની હતી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.