લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય દ્વારા શુક્રવારના રોજ રોજ લખતર આરામગૃહમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજે છે. જે અનુસંધાને તા.15-4-22ને એપ્રિલ મહિનાના ત્રીજા શુક્રવારે લખતર આરામગૃહખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દ્વારા લોકોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી.
આ લોકદરબારમાં લખતર બસ સ્ટેશન બન્યું ત્યારથી પાસબારી,બુકિંગ બારી બંધ હોવાની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી. આ લોકદરબાર વેળાએ હસમુખભાઈ હાડી, લખતર તાલુકા પંચાયતનાં વિરોધપક્ષના નેતા પ્રવિણભાઇ મકવાણા, અશ્વિનસિંહ રાણા, અજયસિંહ રાણા સહિતનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.