ધ્રાંગધ્રા તાલુકામા વીજ કંપનીના કોન્ટ્રાક્ટ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજથાંભલા નાખી લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોના પાકને નુકસાન થતું હતું. આથી યોગ્ય વળતર નહીં આપતા હોવાથી પચાસ મુદા અમલીકરણ સમિતિ ચેરમેનને રજૂઆત કરાતા તેઓએ ઊર્જા મંત્રીને રજૂઆત કરતા ઊર્જા મંત્રીએ યોગ્ય કરવાના આદેશ કર્યા હતા. ધ્રાંગધ્રા તાલુકામા થોડા સમયથી વીજ કંપની દ્વારા ખેતરોમાં થાભલા નાખી લાઈન નાખવામાં આવી રહી છે. જે ખેડૂતોના વાવેતર કરેલા મોલમાં દાદાગીરી કરી કામગીરી પાકને નુકસાન કરે છે.
જ્યારે યોગ્ય વળતર નહીં આપતા હોવાની રજૂઆત ધ્રાંગધ્રા તાલુકા રાજસીતાપૂર, પ્રતાપપુર, પ્રથુગઢ, ખાભળા, ધોળી, ગાજનવાવ, બાવળી સહિતના ગામ ખેડૂતો દ્વારા પચાસમુદા અમલીકરણ સમિતિ ચેરમેન આઈ.કે.જાડેજાને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે વીજ કંપનીનું કામ લાકડીયાથી વડોદરા વચ્ચે 765 કે.વી લાઇન નાખી ખેતીલાયક જામીનમાં થતા નુકસાન કરી ખેડૂતોના ખેતરોમા વીજ ટાવર તથા વીજલાઈન દાદાગીરી અને બળજબરીથી ઊભા મોલમાં નાખી પાકને નુકસાન કરી યોગ્ય વળતર નહી આપતા હોવાની રજૂઆત કરી હતી.
આથી આઈ.કે.જાડેજાએ ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલને લેખિત અને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આદેશ કરી નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવવા અને ઊભા પાકને નુકસાન ન થાય તેમાટે જણાવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.