તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક વર્ષ પહેલાં જ દામપત્ય જીવનમાં પગ માંડનાર પરણિતાએ ઘરકામ આવડતું ન હોવાથી ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. પરણિતાએ સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે ઘરકામ આવડતું ન હોવાનું કહી આ પગલું ભરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
કતારગામના ચિરાગ મહેતાના એક વર્ષ અગાઉ જ શ્વેતાબેન(20) સાથે લગ્ન થયા હતા. સોમવારે રાત્રે શ્વેતાબેને અનાજમાં નાંખવાનો પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંગળવારે તેમનું મોત નિપજ્યું હતું. શ્વેતાબેને સ્યુસાઈડ નોટમાં તેમના આપઘાત માટે તેમના સાસુ સસરા કે માતા-પિતા કોઈ જવાબદાર ન હોવાનો અને પોતાને ઘરકામ આવડતું ન હોવાથી હતાશ થઈ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.