તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારીના કારણે ચાલુ વર્ષે 31મી ડિસેમ્બરે તમામ ઊજવણી બંધ રખાઇ છે. જ્યારે રાતે 9 વાગ્યાથી કરફ્યુ હોવાથી પોલીસ શહેરના 30 એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ લોક કરીને કામ વગર ઘરની બહાર નીકળનારા સામે ગુનો નોંધી જેલમાં પૂરી દેશે. આ વર્ષે પહેલી વખત દારૂડિયાઓને પકડવા માટે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ નહીં કરે તેમજ કોઈનું મોઢું પણ નહીં સૂંઘે. પણ દારૂડિયાઓને વાણી-વર્તન અને તેની ચાલના આધારે પકડશે. ઉપરાંત શંકાસ્પદ લોકોની ખરાઈ બ્લડ રિપોર્ટના આધારે કરાશે. સુરતના તમામ રસ્તાઓ ઉપર 450થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે. જેનું મોનીટરીંગ પોલીસ કંટ્રોલ રુમમાંથી કરવામાં આવે છે. જેથી 31મીએ રાતે લોકોની ભીડ ભેગી ન થાય તેમજ કોઈ ક્યાંય ઉજવણી ન કરે તે માટે કંટ્રોલ રુમના કેમેરામાંથી પણ શહેરભરમાં નજર રાખવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.