તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરથાણામાં છેલ્લા એક વર્ષથી બેકાર યુવકે પાંચમા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું તો અન્ય બનાવમાં ઘરકંકાસથી કંટાળીને સગરામપુરાના આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મુળ જુનાગઢના ગીર સોમનાથના વતની અને હાલ યોગીચોક પેરેડાઈજ રેસિડેન્સીમાં રહેતા કેયુર રતિલાલ મારકણા(26)ના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી નોકરી શોધી રહ્યા હતા. અંતે માનસિક તણાવમાં આવી રવિવારે પાંચમા માળેથી પડતું મુકી આપઘાત કર્યો હતો.
અન્ય બનાવમાં સગરામપુરા ચોગાન શેરીમાં રહેતા અને જરીના કારખાનામાં કામ કરતા પ્રકાશ નટવર કાટવાલા(48)નો પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હતો. નાનો પુત્ર માનસિક બીમાર છે. છેલ્લા 10 દિવસથી પત્ની પુત્રને લઈ પિયરમાં જતી રહેતા એકલતાથી કંટાળીને પ્રકાશભાઈએ ઝેરી પાવડર પી આપઘાત કર્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.