ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં ઓએનજીસી ચાર રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ પર એલ એન્ડ ટી કંપનીનું રીફાયનરીનું હેવી બોઈલર હજીરાથી એસ.કે.નગર તરફ જતા બ્રિજ પર પલટી ગયું હતું. મંગળવારે તેને હટાવવાની કામગીરી હાથ ધરાશે.
આ કામગીરી મંગળવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી હાથ ધરાનાર છે. તે માટે હેવી ક્રેનોને ઉભી રાખવા માટે બ્રિજ નીચેનો રસ્તો બંધ કરવાની જરૂરત હોવાથી તંત્રએ હજીરા-એસ.કે.નગર વચ્ચેનો રસ્તો બંંધ રાખવામાં આવનાર છે. તે માટે વાહન ચાલકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકશે.
આ વૈકલ્પિક રસ્તાથી અવરજવર ચાલુ રહેશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.