તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલી કેટલીક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ફિણના ઢગલા જોવા મળી રહ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતા પાણીનો પ્રવાહ અટકતા આ પ્રકારની સમસ્યા ઉભી થઈ રહી છે.ફિણનાં ઢગલાં થતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે, પાલિકા તંત્ર કહે છે કે, આ કામ ચલાઉ સમસ્યા છે અને ખાડીનું કામ પૂરું થતાં આ સમસ્યા દૂર થઈ જશે.
રોગચાળો ફેલાવાનો ડર
વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં અર્ચના ખાડીની બાજુમાં હરિધામ સોસાયટી આવી છે. આ સોસાયટી બરોબર ખાડીના કિનારે આવેલી છે. છેલ્લા કેટલાક દિવસથી ખાડીના ઉપર ફિણનાં ઢગલે-ઢગલાં જોવા મળી રહ્યા છે. આ ફિણનાં ઢગલા મોટી માત્રામાં હોવાથી લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે. લોકોમાં એવો ગભરાટ છે કે, આ પાણીને કારણે રોગચાળો ફેલાઇ શકે છે.જો કે પાલિકા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ગભરાટની વાત નથી.
ટ્રીટ કરેલું પાણી હોવાનું પાલિકાએ કહ્યું
મહાનગરપાલિકાએ કહ્યું કે,આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે અને ટ્રીટ કરેલું પાણી છે. હાલમાં ખાડી ડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ ખાડીને પેક કરીને તેના પર રોડ અને બ્યુટીફીકેશનનું કામ થશે.આ કામગીરીને પગલે ખાડીમાં માટીપુરાણ કરીને ખાડીના રસ્તાને સાંકડો અને ઊંડો કરવાની કામગીરી ચાલે છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રોસેસ કરેલું પાણી છોડાય છે. ખાડીનું મુખ નાનું થતાં આ પ્રકારના ફિણ જોવા મળે છે. જોકે આનાથી કોઈના આરોગ્યને ખતરો નથી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.