ઉદ્યોગને અસર:અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો કરતાં સુરતના ઉદ્યોગકારો મુશ્કેલીમાં, ટેક્સટાઈલના 100 કરોડ રૂપિયા ફસાય તેવી કટોકટી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતથી અફઘાનિસ્તાનમાં એક્સપોર્ટ થતાં કાપડને ધંધાને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
  • ટેક્સટાઈલ માર્કેટમાંથી સિન્થેટિક કાપડ મોટી માત્રામાં અફઘાનિસ્તાન એક્સપોર્ટ થાય છે

અફઘાનિસ્તાન પર આતંકી સંગઠન તાલિબાને કબ્જો કરી લેતા દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઈ છે. ત્યારે સુરતના ઉદ્યોગકારો પણ અફઘાનિસ્તાનમાં સર્જાયેલી કટોકટીને લઈને મુશ્કેલીમાં મૂકાયા છે. સુરતની ટેક્સટાઈલ માર્કેટમાંથી અફઘાનિસ્તાનમાં મોટી માત્રામાં સિન્થેટિક સહિતના દુપટ્ટા, બુરખા અને શાલને લગતું કાપડ મોકલવામાં આવતું હતું. જો કે, વર્તમાન સમયમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પગલે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓના લગભગ અંદાજે 100 કરોડ રૂપિયા ફસાયા હોવાની વાત સામે આવી રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો જમાવ્યો હોવાથી આ તમામ ધંધો અટકી ગયો
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો જમાવ્યો હોવાથી આ તમામ ધંધો અટકી ગયો

અફઘાનિસ્તાનમાં 50 લાખ મીટરનું એક્સપોર્ટ
સંજય જગનાની (કાપડ વેપારી) એ જણાવ્યું હતું કે,વિશ્વના અન્ય દેશોની જેમ,સુરત કાપડ માર્કેટમાં સોથી વધુ વેપારીઓ અફઘાનિસ્તાનના વેપારીઓ સાથે કાપડનો વેપાર કરે છે. એટલે કે લગભગ આખું વર્ષ ઉત્પાદન થતા લગભગ 36 કરોડ મીટર સિન્થેટિક કાપડમાંથી લગભગ 50 લાખ મીટર કાપડ આફઘાનિસ્તાન જતું હોય એમ કહી શકાય છે. મોટા ભાગનું કાપડ વાયા અમૃતસર, દિલ્હી, મુંબઈ, જયપુર હિતથી એક્સપોર્ટ થાય છે. જો કે, બાંગ્લાદેશના ધાકામાંથી પણ માલનો કેટલોક જથ્થો જાય છે અને ઈરાનના વિવિધ બંદરો પર ઉતર્યા બાદ માલવાહક વાહનો કાબુલ, કંદહાર, ગઝની અને અફઘાનિસ્તાનના અન્ય શહેરોમાં પહોંચે છે.

અફઘાનિસ્તાનમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેમાં અત્યારે વેપારની સ્થિતિમાં સુધારાની કોઈ સંભાવના નથી
અફઘાનિસ્તાનમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેમાં અત્યારે વેપારની સ્થિતિમાં સુધારાની કોઈ સંભાવના નથી

તાલિબાનોએ કબ્જો કરતાં ધંધો અટક્યો
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અફઘાનિસ્તાનમાં કાપડનું મૂલ્ય વાર્ષિક હજાર-બારસો કરોડ થાય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબ્જો જમાવ્યો હોવાથી આ તમામ ધંધો અટકી ગયો છે.ભારતના કાપડ બજારના વેપારીના ટેક્સટાઇલ માલનું કન્ટેનર અહીંથી થોડા દિવસ પહેલા ઈરાનના ચાબહાર પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. કાપડથી ભરેલું કન્ટેનર પણ બંદર પર પહોંચી ગયું હતું, પરંતુ ત્યાંથી માર્ગ દ્વારા જવું શક્ય નહોતું. અફઘાનિસ્તાન જતા પહેલા, અમેરિકન સેનાની વિદાય અને તાલિબાનની પકડવાની નીતિને ધ્યાનમાં રાખીને વેપારી કટનેર ચાબહાર બંદર પર રોકાઈ ગયુ છે.

અફઘાનિસ્તાનમાં બદલાયેલા માહોલથી વેપારીઓની નજર ભારત સરકારના આગામી વલણ પર ટકેલી છે
અફઘાનિસ્તાનમાં બદલાયેલા માહોલથી વેપારીઓની નજર ભારત સરકારના આગામી વલણ પર ટકેલી છે

ધંધાની અસર ભારતના વલણ પર નિર્ભર-વેપારી
પ્રદીપ અગ્રવાલ (કાપડ વેપારી) એ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બદલાયેલા માહોલથી વેપારીઓની નજર ભારત સરકારના આગામી વલણ પર ટકેલી છે. તેઓ ત્યાં સામાન્ય હોવાનો દાવો કરી રહ્યા છે, આવી સ્થિતિમાં રાહ જુઓ અને જુઓની સ્થિતિ રહે છે.

વેપારીઓને મોટુ નુકસાન સહન કરવું પડશે
મૂળચંદભાઈ (કાપડના વેપારી) એ જણાવ્યું હતું કે,અફઘાનિસ્તાનમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેમાં અત્યારે વેપારની સ્થિતિમાં સુધારાની કોઈ સંભાવના નથી. બિઝનેસને મોટું નુકસાન કરીને ત્યાંથી બિઝનેસ બદલવા સિવાય કોઈ વિકલ્પ નથી.