તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સુરતમાં રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ સમિતિની રચના કરવામાં આવી છે. જ્યાં ક્ષેત્રિય મહામંત્રી અશોકભાઈ રાવલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દાનની તમામ રકમ અયોધ્યા મોકલવામાં આવશે. સાથે જ 40 લાખ પરિવારોને મંદિર સાથે જોડવાની કવાયત હાથ ધરવામાં આવશે.
દાનની સ્લીપ આપવામાં આવશે
મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, દાનની રકમ સ્લિપ વગર સ્વિકારવામાં આવશે નહી. તમામ રૂપિયા એકાઉન્ટેબલ હશે. તમામ રૂપિયા મંદિરન નિ્ર્માણ પાછળ જ વાપરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં પણ ગામે ગામે ફરીને નિધિ ઉઘરાવવામાં આવશે.
હિન્દુઓને મંદિર સાથે જોડાશે
શ્રી રામ મંદિર નિર્માણ સમિતિ દક્ષિણ ગુજરાતના મંત્રી અશોક રાવલે કહ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે ફંડ બાબતે રોડમેપ નક્કી કરાયો છે. દક્ષિણ ગુજરાત પ્રાંતમાંથી પણ નિધિ ઉઘરવાશે, દક્ષિણ ગુજરાતમાં 7228 ગામોમાં સમિતિ ફરશે અને 40 લાખ હિન્દૂ પરિવારોને જોડાશે.પરિવારો દ્વારા અપાતા દાન ને એકત્ર કરી અયોધ્યા મોકલશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.