તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરોલી ઝોન ઓફિસમાં અનાજની કાળાબજારી થતી હોવાના આક્ષેપ દ્વારા કોંગ્રેસના બક્ષીપંચ દ્વારા ચોંકાવનારો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અગાઉથી ઝોન ઓફિસની તાળાબંધીનો કાર્યક્રમ કરવાની જાહેરાત કરવામાં આવી હોય છે. જેથી ઓફિસ આસપાસ પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હોય છે. કોંગ્રેસ બક્ષીપંચના સભ્યો કોંગ્રેસના બેનર સાથે આવતાં સુત્રોચ્ચાર કરે છે. આ દરમિયાન પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે.
ફરિયાદોનો નિરાકરણ ન આવતાં કાર્યક્રમ
સરકારી અનાજની કાળાબજારીના અને તેના કારણે લોકોને થઈ રહેલી તકલીફોના કારણે કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કલ્પેશ બારોટ સહિતનાઓ દ્વારા કતારગામ પુરવઠાની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી થઈ રહેલી ફરિયાદોના નિરાકરણ નહીં આવતાં તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજાયો હોય છે.
પોલીસે તમામની અટકાયત કરી
પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન અને તાળાબંધી માટે આવેલા કોંગ્રેસના બક્ષીપંચના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.