કતારગામમાં માનસિક બીમાર યુવકનો ફાંસો ખાઈ લીધો હતો. કતારગામ શિશુવિહાર સ્કૂલ પાસે રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા કિરણ નાઈ(30) છેલ્લા 15 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તેમના પિતા મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
તેમના માતા-પિતા બે દિવસથી અમદાવાદ સંબંધીને ત્યાં કામ અર્થે ગયા હતા. દરમિયાન કિરણે બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.