માથાભારે તત્વોનો આતંક:સુરતમાં કુખ્યાત બૂટલેગરના પુત્ર પર જૂની અદાવતમાં બે શખસોએ તલવારથી હુમલો કર્યો, એકને ગંભીર ઈજા

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત કર્યો હતો. - Divya Bhaskar
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત કર્યો હતો.
  • 6થી 7 જેટલા યુવાનોએ તલવાર જેવા હથિયારો લઈને હુમલો કર્યો હતો.
  • હુમલો થયા બાદ રામપુરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું.

સુરતમાં જૂની અદાવતમાં રામપુરા વિસ્તારના કુખ્યાત બૂટલેગરના પુત્ર પર મધરાત્રે હુમલો થતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા એક યુવકને લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

6થી 7 જેટલા યુવાનોએ હૂમલો કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતમાં લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા વિસ્તારમાં કુખ્યાત બૂટલેગર વલીઉલ્લાહના પુત્ર ફિરોજ પર જૂની અદાવતમાં તલાવાર જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. 6થી 7 જેટલા યુવાનોએ આ હુમલો કર્યો હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ ફૂટેજમાં હુમલો કરનાર યુવાનો છુપાઈ જવા માટે દોડી રહ્યાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

હુમલો થયા બાદ રામપુરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું
હુમલો થયા બાદ રામપુરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું હતું

જૂની અદાવતમાં હૂમલો કરાયો
જે બન્ને મિત્રો પર અચાનક થયેલા જીવલેણ હુમલાથી બચાવવા હુમલાખોરો સામે લડત આપતા પણ દેખાય છે. અન્સારી અહેજાજે જણાવ્યું હતું કે મસીન કાલિયા વિરુદ્ધ મે લાલગેટ પોલીસ અને CP સાહેબને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ પાછી ખેંચી લેવા અગાઉ માથાકૂટ પણ થઈ હતી. જેની અદાવતમાં આ હુમલો કરાયો છે. મોસીન કાલિયો 16 પેટી દારૂના કેસમાં DCB પોલીસના ચોપડે વોન્ટેડ છે અને જાહેરમાં દારૂનો વેપલો અને હુમલાઓ કરી પોતાની ધાક ઉભો કરી રહ્યો છે. આ હુમલામાં બરકતભાઈ નામના વ્યક્તિને ગંભીર ઇજા થઇ છે.

પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં.
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ થાળે પાડવા પ્રયત્નો કર્યાં હતાં.

હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી
DCP ભાવના પટેલે જણાવ્યું હતું કે, રામપુરા વિસ્તારમાં કેટલાક હુમલાખોરોએ બે યુવકો પર તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો છે. ફરિયાદીની પૂછપરછમાં હાલ ફાયરિંગની કોઈ ઘટના સામે આવી નથી અને હુમલા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. લાલગેટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.