તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સચીન જીઆઇડીસી ગૌતમ નગર ખાતે રહેતા અને મુળ યુપીના બાંદાના વતની વિષ્ણુદત્ત રમાશંકર શાહું(38) ઘર નજીક જ કરિયાણાની દુકાન ચલાવતા હતા. ગઈ તા. 10 એપ્રિલના રોજ તેમણે મોડી સાંજ સુધી દુકાન ચાલુ રાખી હતી તેમજ ગ્રાહકો પાસે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરાવવામાં આવતું ન હતું. જે ધ્યાન પર આવતા સચીન જીઆઇડીસી પોલીસે જાહેરનામાનાં ભંગ બદલ તેમની સામે અટકાયતી પગલાં ભર્યા હતા અને દુકાન બંધ કરાવી દીધી હતી. અટકાયતી પગલાં ભર્યા બાદ તેમને છોડી મૂક્યા હતા. દરમિયાન મંગળવારે સવારે તેમના ઘર પાસે ખાલી રૂમમાંથી પંખા સાથે દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા સચીન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.